(પહેલા એક વિનંતી :- મિત્રો, આ
પહેલા મેં ‘અન્નબગાડ
મહાપાપ’ લેખ
મૂકેલ. તે પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. જો વધુ માહિતી મળે તો એ પુસ્તક્ને થોડું
મોટું કરી ફરી પ્રકાશિત કરવાની ઈચ્છા છે. જો તમારા પાસે એ લેખમાં છે એ સિવાયની
માહિતી હોય તો તે લેખમાં કોમેન્ટરૂપે મૂકી મને મદદરૂપ થવા વિનંતી. એ તમારો મારા
ઉપર ઉપકાર રહેશે.)
પ્રેમને સૌ ઈશ્વર કહે, પ્રેમ નથી
કોઈનો ગુલામ,
સદા નિર્મળ બની વહે, પ્રેમ નથી
કોઈનો ગુલામ.
પ્રેમની દુનિયામાં હોય ન સ્થાન
પીછેહટને,
સૌથી એ આગળ રહે, પ્રેમ નથી કોઈનો
ગુલામ.
ફૂલોની જેમ ખીલેલા ચહેરાઓની આ
દુનિયા,
કણેકણમાંથી શાંતિ ગ્રહે, પ્રેમ
નથી કોઈનો ગુલામ.
પ્રેમની આ દુનિયામાં સંપીને
રહેવાનું સૌ જાણે,
શીદને એ તકરાર સહે? પ્રેમ નથી
કોઈનો ગુલામ.
‘સાગર’ આ કેવી છે દુનિયા? લૌકિક કે
અલૌકિક?
જ્યાં પ્રેમ પ્રેમ પ્રેમ વહે,
પ્રેમ નથી કોઈનો ગુલામ.
-
‘સાગર’ રામોલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો