.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

વધુ પરિચય

 ‘સાગર' રામોલિયાનો ‘આજકાલ' સાંઘ્‍ય દૈનિકમાં છપાયેલ પરિચય

    ‘આજકાલ'ની લોકપ્રિય કોલમ ‘બાલતરંગ'ના બાલમિત્રો છેલ્‍લા ઘણાં સમયથી
તમે જેમની  બાલવાર્તાઓ અને બાલકાવ્‍યો વાંચો છો તે ‘સાગર' રામોલિયા
માત્ર ધંધે જ નહીં વ્‍યવસાયે પણ શિક્ષક છે, કારણ કે શિક્ષકત્‍વ એમનાં હાડકાંની
મજજા સુધી પહોંચી ગયું છે. એવા ‘સાગર' રામોલિયા જેઓ મહાનગર
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે  છે.
ભરજુવાનીમાં જ જેમનું માનસ બાલ સમર્પિત છે, એવા ‘સાગર' સાહેબનો
જન્‍મ જામનગરના પાદરમાં આવેલા નાનીમાટલી ગામે 1973ની પહેલી ફેબ્રુઆરીએ
થયો હતો. ગુજરાતી કવિ વેણીભાઈ પુરોહિતના જન્‍મદિવસે જ સ્‍તો! મહાકવિ પ્રેમાનંદનો

જન્‍મ પણ આ જ દિવસે થયો હતો. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર પણ
આ જ દિવસે જન્‍મેલા. ફેબ્રુઆરી શબ્‍દ  ‘ફેબ્રેએરીયુસ'નો તદ્‌ભવ છે. લેટિન
ભાષામાં એનો અર્થ થાય છે, શુદ્ધ કરવું. પ્રાચીન રોમન સભ્‍યતામાં ફેબ્રુઆરી માસ
પ્રાયશ્ચિત અને આત્‍મશુદ્ધિ માટેનો ગણાય છે, આપણા પુરુષોત્તમ માસની જેમ જ.
ભાઈ રામોલિયાના  હાથે એમના ગજા પ્રમાણે ગુજરાતી પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કંઈક થશે
એવા સંકેતરૂપે જ ભગવાને એમને આ ક્ષેત્રમાં પડવા માટેએસ.એસ.સી. પછી પી.ટી.સી.
કરાવ્‍યું અને શિક્ષણક્ષેત્રનો વ્‍યવસાય સ્‍વીકાર્યા પછી પણ તેઓ ભણતા રહ્યા અને
હિન્‍દી વિષય સાથે સ્‍નાતક થયા.

    શિક્ષક થવું એ માવતર થવાનો કીમિયો છે. બધાને ‘માસ્‍તર' થતાં ન
આવડે. જેની પાસે ‘મા'નું હેત ભરેલું હૈયું હોય અને બાપની માર્ગદશર્ક આંખ હોય
એ જ ‘માસ્‍તર' થઈ શકે. આ નવયુવાન ‘સાગર' રામોલિયામાં બાળકોને
કંઈક ભણાવવાની અદમ્‍ય ઈચ્‍છા તો હતી જ. એ ઈચ્‍છાએ જ એમની કલ્‍પનાને
નવો આલોક આપ્‍યો અને એમના હૈયામાંથી બાલકાવ્‍યો, બાલવાર્તાઓ,
જોડકણાંઓ રૂપે બાલસાહિત્‍ય સર્જાવા લાગ્‍યું. સાથે સાથે ગઝલો અને હઝલોમાં
પણ સફળતાપૂર્વક હાથ માર્યો. એમને મળ્‍યા પછી એવું ચોક્કસ લાગે કે એમના
સાહિત્‍ય  સર્જન પાછળ અનુભૂતિનો આવેગ છે. તે નિશ્ચિતપણે બાલપ્રેમી છે. જે
એક સારા શિક્ષકનું લક્ષણ છે. શિક્ષણકાર્ય સમયે એમના વર્ગખંડમાં ચોકોર છવાયેલી
ચેતના એમનો બાલપ્રેમ સૂચવે છે. બાલશિક્ષણક્ષેત્રે તેઓ ભવિષ્‍યમાં પણ ઉણા ઉતરે
એવું હાલમાં તો લાગતું નથી. પણ એમનું સાચું વ્‍યકિતત્‍વ તો ઉભરે છે એમનાં
સાહિત્‍ય સર્જનમાં. ગદ્યમાં એમણે બાલવાર્તાઓ  ઉપર કલમ અજમાવી છે.
ગુજરાતના એક જાણીતા સાંઘ્‍ય દૈનિક ‘આજકાલ'માં તેઓ નિયમિત બાલવાર્તાઓ
લખે છે. જામનગરના કવિ ભૂપેન્‍દ્રશેઠ ‘નીલમ' એમના વિશે લખે છે,
‘‘ભાઈશ્રી ‘સાગર' રામોલિયા નક્કર પરિણામની અપેક્ષાએ અવનવું લખે છે.
 જેમાં ગીત, ગઝલ, હઝલ, અછાંદસ, હાઈકુ, મુકતકો, મોનોઈમેજ વગેરે
ગણી શકાય. વ્‍યકિતગત ચરિત્રોના પ્રલંબ કાવ્‍યો પણ લખે. બાલસાહિત્‍ય સર્જન
સાથે હાસ્‍ય, કટાક્ષ-વ્‍યંગ રચનાઓ પણ હોય. જેમાં હઝલ પ્રમુખ છે. દીર્ઘ
કાવ્‍યો પણ લખે છે. પોતાની સર્જનશકિતને અર્થોપાર્જન અર્થે જોતરવાની તમા
રાખ્‍યા વિના નિજાનંદ માટે લખ્‍યે જ જાય છે અને પ્રકાશિત પણ થયે જાય છે.''

   ગુજરાતી બાલસાહિત્‍યજગત એમની પાસેથી ઘણું  પામશે એવું ચોક્કસપણે
લાગે છે. ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાય મંજૂર
થયેલ છે તેવાં બે પુસ્‍તકો ‘અંતાક્ષરી   જોડકણાં' અને બાળવાર્તા સંગ્રહ
‘હરખાનો હલવો' પ્રકાશિત થયેલ છે. જે બાળકોને ખૂબ આનંદ પમાડે એવું છે.

   અત્‍યાર સુધીમાં નાનાં મોટાં હજારેક કાવ્‍યો લખ્‍યાં હશે. સામાજિક
વિધિનિષેધો અને મર્યાદાઓને આવરી લેતું ‘વિધવા' નામનું રપ00 પંકિતઓનું
દીર્ઘકાવ્‍ય લખ્‍યું છે. સરદાર પટેલના જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું
એક દીર્ઘકાવ્‍ય ‘સરદારનું ગીત' ર700 પંકિતઓમાં લખ્‍યું છે. જે કાબિલેદાદ છે.
અનુષ્‍ટુપ છંદમાં લખાયેલા આ કાવ્‍યમાંએ સમયનો  ઈતિહાસ ઢબુરાઈને સૂતો છે.
મા ભગવતીનાં ભકિતગીતો ‘ખોડલગીત' નામની પુસ્‍તિકામાં પ્રકાશિત થયાં છે.
આર્યસમાજ, જામનગરે તેઓનું મહર્ષિ દયાનંદ સરસ્‍વતીના જીવન પર આધારિત
‘દયાનંદગાથા' દીર્ઘકાવ્‍ય પણ પ્રકાશિત કર્યું છે. ‘મારી બલા' નામનો
એક  હાસ્‍ય  સભર હઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ગુજરાતના અનેક આગેવાન
સામયિકોમાં યથાવકાશ લખ્‍યે જ જાય છે. ગુજરાતના લગભગ વીસેક દૈનિકો,
સાપ્‍તાહિકો અને માસિકોમાં એમની કૃતિઓ યથાવકાશ પ્રગટ થાય છે.

    ‘સાગર' રામોલિયાનું વ્‍યકિતત્‍વ ઉભય પાસાંવાળું છે. જેમની સાથે મન
પ્રાહવે-પ્રસન્‍નતા  અનુભવે એમની સાથે કલાકો સુધી બોલ્‍યા કરે અને કયારેક કોઈની
સામે બોલાવવામાંય મોંમાં આંગળાં નાખવા પડે. પણ એમના સાહિત્‍ય સર્જનની
સફળતાનો ગ્રાફ યથાગતિએ ઊંચે ચડયે જ જાય છે.

   છેલ્‍લે રાજકોટના ગીજુભાઈ ભરાડે કરેલ જ્ઞાનતુલા કાર્યક્રમ અંતર્ગત તેમનું
બાળવાર્તાનું પુસ્‍તક ‘કાબેલ કાબર' પ્રકાશિત થયેલ છે. આ તેમજ અન્‍ય મળી ૩૬૫
 પુસ્‍તકોની  શોભાયાત્રા રાજકોટમાં ફરેલ.
     આ ‘સાગર' મહાસાગર બને એવી શુભેચ્‍છા સાથે

                                  પરિચય આપનાર  -દિવ્‍યકાંત પટેલ ‘કુતૂહલકાકા'