(૧)
ઝાડની
ડાળ-ડાળ
જાણે
ખિસકોલીના
અવનવા
રસ્તા!
(૨)
ખિસકોલીના
પટ્ટાવાળા
પારદર્શક
શરીરમાં
અટવાયા
શ્રીરામ!
(૩)
ખિસકોલીથી
સમય
કંટાળતો
નહિ હોય!
તે
બોલવાનું
બંધ જ
નથી
કરતી!
(૪)
શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં
અટવાયેલો
ખિસકોલી જેવો
આપણો
જીવ,
નક્કી
નથી કરી શકતો
કે
મરેલી
ખિસકોલી પાછળ
શેનું
દાન કરવું?
સોનાનું
કે ચાંદીનું?
કે પછી
આવી
કવિતાનું......?
- ‘સાગર’
રામોલિયા