(૧)
સુનામી
એટલે
આંધળો
રાક્ષસ.
(૨)
દરેકના
મનમાં
દિવસમાં
એકવાર તો
આવે છે
સંશયનું
સુનામી.
(૩)
સમુદ્રમાં
સુનામી
આવે તો?
લાશોનો
ઢગલો...!
(૪)
કવિના
મનમાં
ઉદભવે
સુનામી
તો થાય
શબ્દોનું
નવસર્જન.
(૫)
કૌરવોના
મનમાં
આવ્યું
સુનામી,
તો શું
થયું?
મહાભારત....!
-
- ‘સાગર’ રામોલિયા