લો તમારી સામે આવી ઊભો,
કંઇક તો નવું લાવી ઊભો.
મારું નામ છે ‘સાગર’ રામોલિયા. આમ તો શિક્ષક છું અને પાકો કાઠિયાવાડી, એમાંય પાછો જામનગરનો. આજ સુધી મારાં આઠ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેનાં નામ ખોડલગીત(ગીત સંગ્રહ), દયાનંદગાથા(દીર્ઘકાવ્ય), મારી બલા(હઝલ સંગ્રહ), અંતાક્ષરી જોડકણાં, હરખાનો હલવો(બાળવાર્તા સંગ્રહ), સરદારનું ગીત(દીર્ઘકાવ્ય), વિધવા(દીર્ઘકાવ્ય), કાબેલ કાબર(બાળવાર્તા સંગ્રહ) છે… એમાંનુ એક મારી બલા આ બ્લોગ પર મૂકી રહ્યો છું. ગઝલ, હઝલ, બાળવાર્તા, બાળકાવ્યો લખવાનો શોખીન છું. બાકીનુ ધીરે-ધીરે લખતો રહીશ.