.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

ઈશ્વરકૃપા

ઈશ્વરકૃપા (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આ ગઝલ મનમાં વસે, મોટી દયા તારી નથી?
એ વિનાની વાત સૂઝે, એ દશા મારી નથી.

પ્રેમની જ્યાં વાત આવે, ખીલતી સોળેકળા,
તેના લીધે જિંદગી બનતી કદી' ખારી નથી.

તારા સંગે પામતી લાવણ્યતા જો આ ગઝલ,
આ જગતને જોવા સુંદર બીજી તો બારી નથી.

ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી',
એ જરૂરી હોય, માની એમ તે ઠારી નથી.

આ ગઝલ રૂઆબથી 'સાગર' વસે છે સૌ દિલે,
ને બની જાતી અડીખમ, ક્યાંય તે હારી નથી.

'સાગર' રામોલિયા

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

શહેરને થયું છે શું? (ગીત)

કહોને! શહેરને થયું છે શું?
ચડી છે ઠંડી? કે લાગી છે લૂ?
કહોને! શહેરને થયું છે શું?

કદી'ક ડૂસકે-ડૂસકે રડે છે,
કદી'ક વળી હિબકે ચડે છે;
કદી'ક લાશરૂપે જોઉં છું,
કહોને! શહેરને થયું છે શું?

ચાલ બધે દમીયલ દેખાય,
ઘરોઘરમાં ઝાંખપ પથરાય;
કયાંક બળવાની આવે છે બૂ,
કહોને! શહેરને થયું છે શું?

ક્યો વૈદ્ય જાણી શકે એની નાડી,
શીદ અવળી ચડી આ શહેરની ગાડી!
હે, ઈશ્વર! થોડી સમજ આપ તું,
કહોને! શહેરને થયું છે શું?

'સાગર' રામોલિયા

ગુરુવાર, 19 જુલાઈ, 2018

આભે સવારી

આભે સવારી (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,
આખું જગ ડોલાવવા તેને  ધખારી હોય છે.

સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,
કયાં કદીયે જાતને કો'એ ટપારી હોય છે?

આમ તો એકાંતવાસી, કયાં કદી' કો'ને મળે!
થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.

ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,
સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.

માન 'સાગર' તેમને દો એટલું ઓછું પડે,
માણસો આવાની તો આભે સવારી હોય છે.

'સાગર' રામોલિયા

મંગળવાર, 22 મે, 2018

પછી ફોન કરજો! (ગઝલ)

લગાગા લગાગા લગાગા લગાગા

મને સંઘરું છું, પછી ફોન કરજો!
બધે તો' ફરું છું, પછી ફોન કરજો!

બજારે ખરીદું, નથી તોય ચિંતા,
મને વાપરું છું, પછી ફોન કરજો!

ન સમજાવ એવો રહું નહિ જરાયે,
મને આછરું છું, પછી ફોન કરજો!

નથી દાંત ઉંદર સમા, તોય આ શું?
સમય કાતરું છું, પછી ફોન કરજો!

કદી' તો મળે રાહ 'સાગર' નવો કો',
મને ચાતરું છું, પછી ફોન કરજો!

'સાગર' રામોલિયા

બુધવાર, 16 મે, 2018

પરિચય

ટહુકાના દેવતાઓ...
ટહુકતો મોરલો....
મારી આલમનું અણમોલ મોતી.
મોરારીબાપુ રામાયણ લઈને આવ્યા.
રમેશ ઓઝા ભાગવત લઈને આવ્યા.
નારાયણ દેસાઈ ગાંધી કથા લઈને આવ્યા.
સાગર સાહેબ સરદાર વલ્લભકથા લઈને આવ્યા. હાલ સુધીમાં તેમનાં ૨૭ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
સમયે સમયે આપણને વક્તાઓ મળતાં રહ્યા.નવી કથાઓ મળતી રહી.એના ગાયકો અને શ્રોતાઓ પણ મળતાં રહ્યા.
મારે મેસેજથી ઘણીવાર વાત થાય.એમનો આગ્રહ રહ્યો કે સરદાર કથાનું આયોજન કરો.એક શિક્ષક જે બહુમુખી પ્રતિભા ધરાવે છે.
સાગર સાહેબ આપ સાગર નથી.
સાગરનું અણમોલ મોતી છો આપ.
આવા અણમોલ મોતી ની પરખ મને મોડામોડા થઈ.
આ પ્રતિભા ને
આ મહામાનવ ને કયા શબ્દોના શણગાર થી મઢુ....?
આપ સરદારપીઠ પર બિરાજો છો.
સરદારના ગાયક છો.
એટલે આપ સરદારબાપુ છો.
આવા પૂજ્ય સરદારબાપુને મારી આલમ દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવે છે.
આપે સરદારની પ્રતિભાને ગાઈ છે.
ગુજરાતના ખમીર ને વંદયુ છે.
ગુજરાતની અસ્મિતાને આરાધ્યું છે.
સાથે સાથે બાલદેવો ની પણ સ્તુતિ કરી પરમને પોકાર્યા છે.
શિક્ષકની આલમને દિવ્યતા બક્ષી છે.
જામનગર ના આ રતન
જામ સાહેબ ની ધરતીએ અર્પણ કરેલા આ સરદાર દિલ સપૂત ને મારુ ગુજરાત ભાવથી ભજે છે....
એમની પ્રતિભાને ઉજાગર કરતો પરિચય જે દિવ્યકાંત પટેલે આપ્યો હતો એ અહીં મુકું છું....
‘સાગર' રામોલિયાનો ‘આજકાલ' સાંઘ્ય દૈનિકમાં છપાયેલ પરિચય
‘આજકાલ'ની લોકપ્રિય કોલમ ‘બાલતરંગ'ના બાલમિત્રો, છેલ્લા ઘણાં સમયથી તમે જેમની બાલવાર્તાઓ અને બાલકાવ્યો વાંચો છો તે ‘સાગર' રામોલિયા માત્ર ધંધે જ નહીં વ્યવસાયે પણ શિક્ષક છે, કારણકે શિક્ષકત્વ એમનાં હાડકાંની મજજા સુધી પહોંચી ગયું છે. એવા ‘સાગર' રામોલિયા જેઓ મહાનગર જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે.ભરજુવાનીમાં જ જેમનું માનસ બાલ સમર્પિત છે, એવા ‘સાગર' સાહેબનો જન્મ જામનગરના પાદરમાં આવેલા નાનીમાટલી ગામે 1973ની પહેલી ફેબ્રુઆરીએ થયો હતો. ગુજરાતી કવિ વેણીભાઈ પુરોહિતના જન્મદિવસે જ સ્તો! મહાકવિ પ્રેમાનંદનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર પણ આ જ દિવસે જન્મેલા. ફેબ્રુઆરી શબ્દ ‘ફેબ્રેએરીયુસ'નો તદ્‌ભવ છે. લેટિનભાષામાં એનો અર્થ થાય છે, શુદ્ધ કરવું. પ્રાચીન રોમન સભ્યતામાં ફેબ્રુઆરી માસ પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિ માટેનો ગણાય છે, આપણા પુરુષોત્તમ માસની જેમ જ.ભાઈ રામોલિયાના હાથે એમના ગજા પ્રમાણે ગુજરાતી પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કંઈક થશે એવા સંકેતરૂપે જ ભગવાને એમને આ ક્ષેત્રમાં પડવા માટે એસ.એસ.સી. પછી પી.ટી.સી.કરાવ્યું અને શિક્ષણક્ષેત્રનો વ્યવસાય સ્વીકાર્યા પછી પણ તેઓ ભણતા રહ્યા અને હિન્દી વિષય સાથે સ્નાતક થયા. શિક્ષક થવું એ માવતર થવાનો કીમિયો છે. બધાને ‘માસ્તર' થતાં નઆવડે. જેની પાસે ‘મા'નું હેત ભરેલું હૈયું હોય અને બાપની માર્ગદશર્ક આંખ હોયએ જ ‘માસ્તર' થઈ શકે. આ નવયુવાન ‘સાગર' રામોલિયામાં બાળકોને કંઈક ભણાવવાની અદમ્ય ઈચ્છા તો હતી જ. એ ઈચ્છાએ જ એમની કલ્પનાને નવો આલોક આપ્યો અને એમના હૈયામાંથી બાલકાવ્યો, બાલવાર્તાઓ,જોડકણાંઓ રૂપે બાલસાહિત્ય સર્જાવા લાગ્યું. સાથે સાથે ગઝલો અને હઝલોમાંપણ સફળતાપૂર્વક હાથ માર્યો. એમને મળ્યા પછી એવું ચોક્કસ લાગે કે એમના સાહિત્ય સર્જન પાછળ અનુભૂતિનો આવેગ છે. તે નિશ્ચિતપણે બાલપ્રેમી છે. જે એક સારા શિક્ષકનું લક્ષણ છે. શિક્ષણકાર્ય સમયેએમના વર્ગખંડમાં ચોકોર છવાયેલી ચેતના એમનો બાલપ્રેમ સૂચવે છે. બાલશિક્ષણક્ષેત્રે તેઓ ભવિષ્યમાં પણ ઉણા ઉતરે એવું હાલમાં તો લાગતું નથી. પણ એમનું સાચું વ્યકિતત્વ તો ઉભરે છે એમનાં સાહિત્ય સર્જનમાં. ગદ્યમાં એમણે બાલવાર્તાઓ ઉપર કલમ અજમાવી છે.ગુજરાતના એક જાણીતા સાંઘ્ય દૈનિક ‘આજકાલ'માં તેઓ નિયમિત બાલવાર્તાઓ લખે છે. જામનગરના કવિ ભૂપેન્દ્રશેઠ ‘નીલમ' એમના વિશે લખે છે,‘‘ભાઈશ્રી ‘સાગર' રામોલિયા નક્કર પરિણામની અપેક્ષાએ અવનવું લખે છે.જેમાં ગીત, ગઝલ, હઝલ, અછાંદસ, હાઈકુ, મુકતકો, મોનોઈમેજ વગેરે ગણી શકાય. વ્યકિતગત ચરિત્રોના પ્રલંબ કાવ્યો પણ લખે. બાલસાહિત્ય સર્જન સાથે હાસ્ય, કટાક્ષ-વ્યંગ રચનાઓ પણ હોય. જેમાં હઝલ પ્રમુખ છે. દીર્ઘકાવ્યો પણ લખે છે. પોતાની સર્જનશકિતને અર્થોપાર્જન અર્થે જોતરવાની તમા રાખ્યા વિના નિજાનંદ માટે લખ્યે જ જાય છે અને પ્રકાશિત પણ થયે જાય છે.''ગુજરાતી બાલસાહિત્યજગત એમની પાસેથી ઘણું પામશે એવું ચોક્કસપણે લાગે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાય મંજૂર થયેલ છે તેવાં બે પુસ્તકો ‘અંતાક્ષરી જોડકણાં' અને બાળવાર્તા સંગ્રહ‘હરખાનો હલવો' પ્રકાશિત થયેલ છે. જે બાળકોને ખૂબઆનંદ પમાડે એવું છે.અત્યાર સુધીમાં નાનાં મોટાં હજારેક કાવ્યો લખ્યાં હશે. સામાજિક વિધિનિષેધો અને મર્યાદાઓને આવરી લેતું ‘વિધવા' નામનું રપ00 પંકિતઓનું દીર્ઘકાવ્ય લખ્યું છે. સરદાર પટેલના જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું એક દીર્ઘકાવ્ય ‘સરદારનું ગીત' ૨૫00 પંકિતઓમાં લખ્યું છે. જે કાબિલેદાદ છે.અનુષ્ટુપ છંદમાં લખાયેલા આ કાવ્યમાંએ સમયનો ઈતિહાસ ઢબુરાઈને સૂતો છે.મા ભગવતીનાં ભકિતગીતો ‘ખોડલગીત' નામની પુસ્તિકામાં પ્રકાશિત થયાં છે. આર્યસમાજ, જામનગરે તેઓનું મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન પર આધારિત ‘દયાનંદગાથા' દીર્ઘકાવ્ય પણ પ્રકાશિત કર્યું છે. ‘મારી બલા' નામનો એક હાસ્ય સભર હઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ગુજરાતના અનેક આગેવાન સામયિકોમાં યથાવકાશ લખ્યે જ જાય છે. ગુજરાતના લગભગ વીસેક દૈનિકો,સાપ્તાહિકો અને માસિકોમાં એમની કૃતિઓ યથાવકાશ પ્રગટ થાય છે.‘સાગર' રામોલિયાનું વ્યકિતત્વ ઉભય પાસાંવાળું છે. જેમની સાથે મન પ્રાહવે-પ્રસન્નતા અનુભવે એમની સાથે કલાકો સુધી બોલ્યા કરે અને કયારેક કોઈની સામે બોલાવવામાંય મોંમાં આંગળાં નાખવા પડે. પણ એમના સાહિત્ય સર્જનની સફળતાનો ગ્રાફ યથાગતિએ ઊંચે ચડયે જ જાય છે. રાજકોટના ગીજુભાઈ ભરાડે કરેલ જ્ઞાનતુલા કાર્યક્રમ અંતર્ગત તેમનું બાળવાર્તાનું પુસ્તક ‘કાબેલ કાબર' પ્રકાશિત થયેલ છે. આ તેમજ અન્ય મળી ૩૬૫પુસ્તકોની શોભાયાત્રા રાજકોટમાં ફરેલ
 આ ‘સાગર' મહાસાગર બને એવી શુભેચ્છા સાથે
આવા મહાસાગરને અલગારી નત મસ્તક થઈ પોતાનો પૂજ્યભાવ અર્પણ કરે છે.
રાકેશ પટેલ......અલગારી

સોમવાર, 7 મે, 2018

દે!

(લગાગા લગાગા લગા લગા)

પ્રભો! થોડી તો ચાગલાઈ દે!
રહું મસ્ત એવી મલાઈ દે!

સદા હાથ લંબાવતો રહું,
ન જો હાથ આખો, કલાઈ દે!

રહે જે થકી ખુશ બધા અહીં,
જરાકેય એ ચાપલાઈ દે!

ભલું જો થતું હોય કો' તણું,
જરા જેટલી અંચલાઈ દે!

તું જો ઈચ્છે 'સાગર' ન થાય આ,
રહું ઠાવકો એ ભલાઈ દે!

-'સાગર' રામોલિયા

नहीं है

(गालगागा गागालगा गालगागा)

आज कोई संदेश आता नहीं है,
गीत कोई, कोई सुनाता नहीं है।

राम जाने क्या आज होता रहा है,
मैं जिसे बोलूँ, वह बुलाता नहीं है।

मैं खुशी अपनी बाँटना चाहता जब,
सामने कोई मुस्कुराता नहीं है।

क्या बजाता मैं, ताल कोई नहीं है,
सूर भी तो कोई सजाता नहीं है।

शुक्रिया 'सागर' मैं तहेदिल से मानूँ,
ना हसाये तो भी रुलाता नहीं है।

- 'सागर' रामोलिया

સવાર થયું

(ગાગાગાગા લગાલ લગા)

લો, હું જાગ્યો, સવાર થયું,
જાગી ભાગ્યો, સવાર થયું.

મારી આ આવડતના બળે,
મુજને તાગ્યો, સવાર થયું.

મારી જોયા ટકોરા મને,
નક્કર વાગ્યો, સવાર થયું.

કોઈ મનમાં વસી જ ગયો,
વા'લો લાગ્યો, સવાર થયું.

'સાગર' તુજને સવાર ફળે,
કો'એ માગ્યો, સવાર થયું.

- 'સાગર' રામોલિયા

સોમવાર, 23 એપ્રિલ, 2018

કલા સામે

(ગાલગાગા લગાલ ગાગાગા)

નાચતાં - કૂદતાં કલા સામે,
લોક ઝૂકેલ છે નશા સામે.


થાય ઈશારો નાચવા લાગે,
સિંહ સરકસનો ચાબખા સામે.


મોરલી શી વગાડતો વાદી,
ડોલતો નાગ એ અદા સામે.


ને અડીખમ રહેવા ઝંખે છે,
આ જગત ધ્રુવ-તારલા સામે.


જાજી ડંફાસ મારતો 'સાગર'
રોજ નમતો ફરે બલા સામે.


'સાગર' રામોલિયા

ગગા સામે

(ગાલગાગા લગાલ ગાગાગા)

બાપ લાચાર છે ગગા સામે,
બૈરી લાચાર પતિ ઢગા સામે.


સાવચેતી ભલે ભરી મનમાં,
કોણ જાજું ટકે દગા સામે!


ભાગતો તે પહોંચશે ક્યાં જૈ,
મેલી લાગેલ આ જગા સામે!


ઝીંક કેવી ઝીલાય જીવનમાં,
બનતા મન સાવ ડગમગા સામે.


આજ 'સાગર' વિચારવા લાગ્યો,
ઝટ બનેલા નવા સગા સામે.


'સાગર' રામોલિયા

મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018

હઝલ

કરો ખમૈયા (હઝલ)
(લગાગા લગાગા લગાગા લગાગા)

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા!
ગયા કાન પાકી, કરોને ખમૈયા!

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,
બધી એબ ઢાંકી, કરોને ખમૈયા!

ન મૂક્યા ક્દી’ પથ્થરોનેય આઘા,
જશે એય થાકી, કરોને ખમૈયા!

લગાવ્યા, હતા એટલા દાવપેચો,
ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા!

કહે વાત આવી ભલે ખૂબ ‘સાગર’,
હવે છે શું બાકી? કરોને ખમૈયા!

‘સાગર’ રામોલિયા