.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 19 જૂન, 2011

ખુરશી


(ભારત દેશમાં
સહન કરે
બે જ પાત્રો,
એક જનેતા
અને
બીજી જનતા...)

માનવને મહાન બનાવે ખુરશી,
ઝળહળતું માન અપાવે ખુરશી.

આવડી જાય એનું કરતા જતન,
તો પ્રભુ તરીકે ઓળખાવે ખુરશી.

મોહિની બનીને આવી છે સંસારમાં,
ભ્રષ્ટાચારમાંયે સપડાવે ખુરશી.

એતો ગણાય છે ચંચળતાની દેવી,
ને ગુંડાગીરી પણ કરાવે ખુરશી.

બનાવી પણ શકે છે પૈસાનો દાસ,
નૈતિક પતનમાં પડાવે ખુરશી.

'સાગર' ચખાય જો એકવાર સ્વાદ,
પછી વારંવાર લલચાવે ખુરશી.

- 'સાગર' રામોલિયા

1 ટિપ્પણી:

Ramesh Patel કહ્યું...

શ્રી સાગરજી
વેધક સુંદર મર્મીલી કૃતિ. ખૂબ ગમી
.

રમેશ પટેલ(આકાશદીપ)