એક કવિની બુદ્ધિ ધોવાણી છે,
કે શરાફે ગીરવે મૂકાણી છે.
આપો જાહેરાત અખબારમાં,
આ કવિની કલ્પના ખોવાણી છે.
ઊડે મન જેમ ઊડે કાગડા,
તોયે ન જણાયું ક્યાં સંતાણી છે.
પહોંચી વાત બધે વાયુવેગે,
ઘેર ઘેર ઝડતી લેવાણી છે.
કંટાળીને 'સાગર' સૌ કહે છે,
મૂર્ખ, એતો તારામાં સમાણી છે.
- 'સાગર' રામોલિયા
કે શરાફે ગીરવે મૂકાણી છે.
આપો જાહેરાત અખબારમાં,
આ કવિની કલ્પના ખોવાણી છે.
ઊડે મન જેમ ઊડે કાગડા,
તોયે ન જણાયું ક્યાં સંતાણી છે.
પહોંચી વાત બધે વાયુવેગે,
ઘેર ઘેર ઝડતી લેવાણી છે.
કંટાળીને 'સાગર' સૌ કહે છે,
મૂર્ખ, એતો તારામાં સમાણી છે.
- 'સાગર' રામોલિયા
1 ટિપ્પણી:
Shri Sagarji,
Good One
Keep it up
Markand Dave
ટિપ્પણી પોસ્ટ કરો