એઈ, કા'નુડા!
શ્રાવણ મહિનો આવ્યો,
ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.
પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો?
કારણ,
અહીં નિત્ય નવા કા'નુડા જન્મે છે,
એમાં તને ઓળખશે કોણ?
એ બધા છે તુજથી ચડિયાતા,
તું તો ગોપીઓને રાસ રમાડતો,
આજે તો ગોપીઓને રાત રમાડે છે;
વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,
ભોળવાય છે આજની ગોપીઓ
પૈસા અને ફેશનની કાંચળીથી...
શ્રાવણ મહિનો આવ્યો,
ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.
પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો?
કારણ,
અહીં નિત્ય નવા કા'નુડા જન્મે છે,
એમાં તને ઓળખશે કોણ?
એ બધા છે તુજથી ચડિયાતા,
તું તો ગોપીઓને રાસ રમાડતો,
આજે તો ગોપીઓને રાત રમાડે છે;
વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,
ભોળવાય છે આજની ગોપીઓ
પૈસા અને ફેશનની કાંચળીથી...
- 'સાગર' રામોલિયા
4 ટિપ્પણીઓ:
સરસ. મને ગમી.
સુંદર કાવ્ય. અખાના છપ્પા જેવું.
સાગરભાઈ,
કૃષ્ણ જન્માષ્ટમી એટલે આપણી અંદર કૃષ્ણ ને જન્મવા , કૃષ્ણ ને જન્મવા એટલે એના વિચાર અને કાર્ય ને જન્મવા , કૃષ્ણ નો વિચાર એટલે : શ્રીમદ ભગવદ ગીતા -અને કાર્ય એટલા ધર્મ સંસ્થાના કાર્ય મા પાંડવો ને જોડવા ...આજના બની બેઠેલા દુશાશન, ધ્રુત્મ્-રાષ્ટ્ર , દુર્યોધન વગેરે ને માત્ર -ચક્રધારી -શ્ ખધારી- યુદ્ધ નું આવાહન કરતો કૃષ્ણ ને આપણી અંદર આદર્શ રૂપે જન્મવા .."ઘાટ મારો કૃષ્ણ ના સુદર્શન જેવો -ધારો તો હું ધર્મ છું -અને આમ ધારો તો ધ્વંશ છું !!!
સાગરભાઈ,
આજની હકીકત ને કાવ્યમાં સરસ વણી લીધી છે. આપની અન્ય રચના માનવભાઈ નાં બ્લોગ પે વાંચેલ, જે પણ સરસ છે.
સુંદર કાવ્ય...
અભિનંદન
અશોકકુમાર -'દાદીમાની પોટલી'
http:das.desais.net
જોડો ડંખે તેમ સાંપ્રત સમયની ખૂંચતી સ્થિતીને સારી રીતે શબ્દસ્થ કર્યું છે..
પણ એ અસલ કાનુડો ક્યારેક આવી જ જશે..યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત..
ક્યારે અને કયા સ્વરૂપે આવશે; એ એની માયા છે. પણ જરૂર જરૂર આવશે, એ એનું અભય વચન છે..
સાગરભાઇ, આપને ખુંચતી આ સ્થિતી ભગવાન નોંધી લે તેવી આશા રાખીએ..એક સારો ખ્યાલ..
ટિપ્પણી પોસ્ટ કરો