.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

બુધવાર, 7 માર્ચ, 2012

ત્યારે ભગવાન ક્યાં હોય છે?

ભગવાનના દર્શને જતાં હોય ને અકસ્માતમાં જીવ જાય. ત્યારે પોતાના આવા શ્રધ્ધાળુ ભક્તોનું રક્ષણ કરવાની ભગવાનની ફરજ નથી? શું ભગવાન આવા અક્સ્માતને રોકી ન શકે? ત્યારે ભગવાન ક્યાં હોય છે? ક્યારેક દર્શન કરીને પાછા ફરતા શ્રધ્ધાળુઓ પણ મોતને ભેટે છે. ત્યારે ભગવાન ક્યાં હોય છે? ભગવાનના નામે પ્રસાદ રખાયેલ હોય, તે લેવા માટે દોડાદોડી થાય. તેમાં માનવોના પગ નીચે માનવો કચડાઈને મરી જાય. પડેલાને ઊભા કરવા જેટલી માનવતા પણ મરી પરવારે! ત્યારે ભગવાન ક્યાં હોય છે? શું ભગવાન આવી ધક્કામૂકી ન કરાય એવો વિચાર માનવના મનમાં ન ભરી શકે? શ્રીનાથજી જેવા મંદિરમાં દર્શન ખુલ્લે ત્યારે દર્શન માટે હલ્લો થાય. તેમાં ઘણા પડીને કચડાય. તેને ઊભા કરવાનો કોઈ પાસે સમય ન હોય. ત્યારે આ લોકો એક પછી એક દર્શન કરે એવો વિચાર ભગવાન આપી ન શકે? મંદિરમાં જ ભાગાભાગીમાં ઘણા માનવો મરે. ત્યારે ભગવાન આ ભાગાભાગી રોકી ન શકે? ભગવાનના દર્શને જતાં શ્રધ્ધાળુઓ રસ્તામાં લુંટાય જાય. ત્યારે ભગવાન લુંટારાના મનમાં પરિવર્તન ન લાવી શકે? શ્રધ્ધાળુને બચાવી ન શકે? ભગવાનના નામે સંસાર છોડેલ સાધુઓ જ બળાત્કારના રસ્તે વળે છે. તેના મનમાં કુમત્ત ભરાય જાય છે. આવું થતું રોકવા સમયે ભગવાન ક્યાં હોય છે? આવા આવા તો અનેક બનાવો બને છે, તેને રોકવા સમયે ભગવાન ક્યાં હોય છે?

- 'સાગર' રામોલિયા

ટિપ્પણીઓ નથી: